અમે મહિયારાં રે¶
અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં મારે મહી વેચવાને જાવાં ...મહિયારાં રે
મથુરાની વાટ મહીં વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે....મારે દાણ દેવા, નહીં લેવા ...મહિયારાં રે
માવડી જશોદાજી કાનજીને વારો દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો હે....મારે દુ:ખ સહેવા, નહીં કહેવા ...મહિયારાં રે
યમુનાને તીર વા'લો વાંસળી વગાડતો ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો હે....મારે જાગી જોવું ને જાવું ...મહિયારાં રે
નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી નિર્મળ હૈયાંની વાત કહેતા ...મહિયારાં રે