Skip to content

અમે મહિયારાં રે

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં ...મહિયારાં રે

મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે....મારે દાણ દેવા, નહીં લેવા ...મહિયારાં રે

માવડી જશોદાજી કાનજીને વારો
દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે....મારે દુ:ખ સહેવા, નહીં કહેવા ...મહિયારાં રે

યમુનાને તીર વા'લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે....મારે જાગી જોવું ને જાવું ...મહિયારાં રે

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી
નિર્મળ હૈયાંની વાત કહેતા ...મહિયારાં રે